ગાંધીધામ ના અંજાર માં પુજારા ટેલિકોમ શો રૂમ માં પાછળ નો દરવાજો તોડી ૫૭ મોબાઇલ ચોરી નવ લાખ થી વધુ નુકશાન ની ફરીયાદ

ગાંધીધામ ના અંજાર માં પુજારા ટેલિકોમ શો રૂમ માં પાછળ નો દરવાજો  તોડી ૫૭ મોબાઇલ ચોરી નવ લાખ થી વધુ નુકશાન ની ફરીયાદ

અંજારમાં લોકોની અવરજવરથી સતત ધમધમતાં બાર મીટર રોડ પર આવેલી પૂજારા ટેલિકોમ નામની મોબાઈલ શોપમાંથી લાખોની ચોરી થઈ છે. દુકાનના પાછલા દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશેલાં તસ્કરો 8.97 લાખની કિંમતના વિવિધ કિંમતી 57 મોબાઈલ ફોન, એક્સેસરીઝ અને રોકડાં 24 હજાર મળી 9.21 લાખની માલમતા ચોરી ગયાં છે. ચોરીનો બનાવ ગત રાત્રે નવ વાગ્યાથી લઈ આજે સવારે દસ વાગ્યાના અરસામાં ગમે ત્યારે બન્યો હતો. અંજાર પોલીસે દુકાનદાર પરિન્દ અંજારિયા (ઠક્કર)ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain