કચ્છ ના અંજાર તાલુકાના ગામડાઓમાં પણ સ્વછતા અભિયાન ની ઠેકડી ઉડાડાઇ હોવાની ચચૉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ ને કોઈ એ ધ્યાને પણ ન લીધું પ્રોગ્રામ નિષ્ફળ
અંજાર તાલુકાના નવી દુધઈ ગામ આજ છવસ્તા બાબતે મિંડું. પ્રધામંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે આજ ભારત ભર માં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે કચ્છ ના અંજાર તાલુકાના નવી દુધઈ ગામે સરકાર ની કોઈ અભિયાન ની પડી ના હોય ગામ ની નાના બાળકો ની આંગડવાડી ની બાજુ મા જ ગામ નું કચરો ઠલવાય છે. બીજી બાજુ જ્યાં ભારત દેશ નું ભવિષ્ય નાના બાળકો અભ્યાસ કરે તે સરકારી પ્રાથમિક શાળા ની બાજુ માં કચરા નો ઢગલો થયેલ જોવા મળે છે. જેમાંથી સતત દુર્ગંધ આવતી હોય છે જે નાના બાળકો ના સ્વાસ્થ્ય માટે હાનીકારક થાય છે. અને ગામ ના જવાબદાર લોકો આંખ આડા કાન કરી ચાલ્યા જાય છે. એક બાજુ ભારત સરકાર દેશ ને સ્વછતા અભિયાન આપે છે ત્યારે જવાબદારી વારા લોકો આ સરકાર ની સાથે કોઈ લેવાદેવા નથી એવું વર્તન કરે છે. આ કચરા નો નિકાલ કરવામાં આવે અને સરકાર બાળકો ના સ્વાસ્થ્ય ની ચિંતા કરે. આંગડવાડી માં તો હજુ તાજુ ફૂલ (નાના બાળકો,) ઉગતું હોય ત્યારે આવી હાલત હોય તો તેની સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.
Post a Comment