ખેડૂતોની છાતી પર વીજ થાંભલાઓ ઉભા કરતી કંપની સામે ખેડૂતોમાં આક્રોશ

ખેડૂતોની છાતી પર વીજ થાંભલાઓ ઉભા કરતી કંપની સામે ખેડૂતોમાં આક્રોશ



ખેડૂતોએ લડત કરવા મક્કમ નિર્ધાર કર્યો ખેડૂતોએ યોગા કરી વિરોધ વ્યક્ત કર્યો કંપની સામે લડવા યોગા કરી ખેડૂતોએ પોતાને માનસિક શારીરિક મજબૂત કર્યા JKTL કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં જબરદસ્તી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે આવનાર દિવસોમાં ગુજરાતભરના ખેડૂત આગેવાનો આ લડતમાં જોડાશે ચણા મમરાના ભાવે ખેડૂતો પોતાની જમીન ક્યારેય નહીં આપે તમામ નિયમોનો ઉલાળીયો કરી તંત્રની મીઠી નજર નીચે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે



દ્વારકાના  ભટ્ટગામથી કચ્છના ભચાઉ લકડીયા સુધી જતી વીજ લાઈનમાં ભટ્ટગામથી એસ્સાર કંપની સુધી JKTL નામની કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે  જે કંપની કામ કરે છે તેણે બધા જ નિયમો નેવે મૂકી ખેડૂતોની છાતી ઉપર વીજ પોલ ઉભા કરી દીધા છે ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી ટ્રેકટર ચલાવી પાકને અને જમીન ને નુકશાન કર્યું છે ખેડૂતોને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર, જમીન માપણીની ભૂલોના કારણે નોટિસ બીજાને અને પોલ બીજાના ખેતરમાં ઉભા કરી દીધાની ઘટના બની છે જાણકાર લોકો તો ત્યાં સુધી કહે છે કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેકટર પાસે જે ફાઇનલ લાઇનની મંજૂરી લેવામાં આવી છે એ આખેઆખી લાઇન જ બદલી ગઈ છે


તેમ છતાં સ્થાનિક સત્તામંડલને લાલચ આપી, તંત્રને ખીસામાં ભરી મોટી મહાકાય કંપની ખેડૂતોની છાતી પર પોલ ઉભા કરી ગયા છે નિયમોનુસાર ખેડૂતના ખેતરમાં રહેણાંકનું મકાન હોય તેનાથી નકકી કરેલી દુરી સુધીના વિસ્તારમાં  વીજ પોલ ઉભો કરી શકાય નહીં પરંતુ આ કંપનીએ ખેડૂતોના ખેતરમાં આવેલા રહેણાંક ઘરની લગોલગ વીજ પોલ ઉભા કરી દીધા છે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં અભણ ખેડૂતોને સંપૂર્ણપણે છેતરવામાં આવ્યા છે તારીખ ૨૭/૦૬/૨૦૨૧ ના રોજ ભટ્ટગામ  અને આજે ૨૯/૦૬/૨૦૨૧ ના રોજ તરઘડીના પાટિયા પાસે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રીત થઈ આ મહાકાય કંપની સામે લડત કરવાનું નક્કી કર્યું છે આજે ખેડૂતોએ કંપની સામે લડવા માટે યોગા કરી પોતાની જાતને શારિરીક અને માનસિક રીતે મજબૂત કરી હતી આવનારા દિવસોમાં ગુજરાતભરના ખેડૂત આગેવાનોને આ લડતમાં જોડવા હાકલ કરવામાં આવશે અને ગુજરાતભરના ખેડૂત આગેવાનો આ લડતમાં જોડાશે

            

વીજળી વિકાસ માટે જરૂરી છે પણ સાથે સાથે ખેડૂતનું ખેતર અને તેમાં અનાજ પકવતો ખેડૂત એનાથી પણ વધારે જરૂરી છે એ સરકારે અને કંપનીએ સમજવું પડશે ખેડૂત વિકાસનો વિરોધી નથી પણ ખેડૂતોની કપાતમાં જતી મહામૂલી જમીન સામે યોગ્ય વળતર મળે એ જરૂરી છે ખેડૂત ચણા મમરાના ભાવે જમીન આપવા ક્યારેય તૈયાર નહિ થાય એના માટે છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોએ લડત કરવાનો આજની મિટિંગમાં નીર્ધાર કર્યો છે. અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા 


રીપબ્લિક ઈન્ડિયા ટુડે તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain