ગુરુ કવિ પરિષદના આયોજન થી ગાંધીનગર મુકામે સ્નેહ મિલન સહ કવિ સંમેલન યોજાયું

ગુરુ કવિ પરિષદના આયોજન થી ગાંધીનગર મુકામે સ્નેહ મિલન સહ કવિ સંમેલન યોજાયું.

તા.૧૦/૦૨/૨૦૨૪, સમય:૯:૩૦ કલાકે સવારે, નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ,ગાંધીનગર ખાતે ગુરુ કવિ પરિષદ ગુજરાત દ્વારા આયોજિત સ્નેહમિલન સહ કવિ સંમેલનનો કાર્યક્રમ યોજાય ગયો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કવિશ્રી પ્રતાપસિંહ ડાભી "હાકલ"(ઉપાધ્યક્ષ શ્રી ગાંધીનગર સાહિત્ય સભા), અતિથિ વિશેષ: શ્રી ધર્માભાઈ શ્રીમાળી (સુપ્રસિદ્ધ લેખક), કવિશ્રી નિરંજન શાહ (કોષાધ્યક્ષ, ગાંધીનગર સાહિત્ય સભા), શ્રીમતી માયાબેન ચૌહાણ (સાહિત્યકાર), ઉપસ્થિતીમાં ગુરુ કવિ પરિષદ દ્વારા કેળવણીકાર, ચિંતક અને સમાજ હિતેચ્છુ સ્વ. શિવશંકર દવેની પુણ્ય સ્મૃતિ આયોજિત સ્નેહમિલન કવિ સંમેલન અંતર્ગત યોજાયું હતું. ભાનુપ્રસાદ એસ.દવે (ઉદઘોષક; કર્મશીલ ગાંધીનગર), દિલીપધોળકિયા,"શ્યામ",જાણીતા ગઝલકાર,જૂનાગઢ, જાણીતાં કવયિત્રી અને કોલમિસ્ટ પારુલ અમિત "પંખુડી"આ કાર્યક્રમના આયોજકો હતા.

સ્નેહમિલન સહ કવિ સંમેલનનાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો દ્વારા પ્રાસંગિક તથા કાવ્ય પઠન કરવામાં આવેલ તથા ગુરૂ કવિ પરિષદના સભ્ય કવિ ગણ દ્વારા સુંદર કાવ્ય પઠનની પ્રસ્તુતિ થયેલ.

આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોનું સ્વાગત શાલ અને બુકે દ્વારા કરવામાં આવેલ તેમજ કવિ - કવયિત્રીઓનું કાવ્ય પઠન બાદ ટ્રોફી અને સન્માન પત્ર દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી ભાનુપ્રસાદ દવે તથા દિલીપ ધોળકિયા ,"શ્યામ" દ્વારા થયેલ.આ કાર્યક્રમ સુંદર અને સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.સ મગ્ર કાર્યક્રમનું મીડિયા કવરેજ અને પ્રેસની કામગીરી કવિશ્રી મનુભાઈ શ્રીમાળી મનમોજ ખેરાલુ, દ્વારા કરવામાં આવેલ હતી - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain