રાપર જલારામ ગૃપ દ્વારા વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ને નાસતા નું વિતરણ કરવામાં આવ્યું
રાપર ખાતે છેલ્લા નવ વર્ષથી અવિરત સેવા કરતા રાપર જલારામ ગૃપ દ્વારા અવારનવાર અબોલ પશુઓ અને પક્ષીઓ માટે પાણી ચણ ધાસચારો સહિત ની સેવા તેમજ જરુરીયાત મંદો ને દવાઓ અને કપડાં વિતરણ કરવામાં આવે છે તો નિરાધાર બનેલા બાળકોને તેમજ વિકલાંગ માટે પણ અવાર નવાર સેવા કરી રહ્યા છે દર રવિવારે જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે રાપર જલારામ ગૃપ દ્વારા પ્રગતિ વિધા મંદિર.. રાજપૂત સમાજ રાપરજલારામ લોહાણા કન્યા કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલય સંસ્કાર લક્ષ્મી કન્યા.. કેળવણી મંડળજયરામ બાપા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માલધારી છાત્રાલય. તેમજ લોહાણા સમાજ ના કન્યા છાત્રાલય ખાતે નાસતા નું વિતરણ કરવામાં આવ્યું હતું
જેમાં અંદાજે બસો જેટલા વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીઓ ને નાસતા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જલારામ ગૃપ દ્વારા શૈલેષ ભીંડે ડાયાભાઈ ઠાકોર કૃપાલસિંહ વાધેલા પ્રકાશ સાયતા હરેશ ઠક્કર શંકર લાલ પંડિત મહેશ પરમાર નયન સુરૈયા લોહાણા કન્યા છાત્રાલય ના પ્રમુખ અંજના બેન ચંદે તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા આમ રાપર જલારામ ગૃપ ની અવનવી સેવા ઓ ની સેવાકીય પ્રવૃત્તિઓ સરાહનીય છે.
Post a Comment