રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન વખતે શિક્ષકોની વહારે આવેલ સંસ્થાઓનો આભાર વ્યક્ત કરાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન વખતે શિક્ષકોની વહારે આવેલ સંસ્થાઓનો આભાર વ્યક્ત કરાયો

SSC અને HSC મધ્યસ્થ મૂલ્યાંકન - કચ્છ - ૨૦૨૩ દરમિયાન  નવચેતન અંધજન મંડળ - માધાપરઅને શ્રી મુરલીધર વિદ્યામંદિર આહીર બોર્ડિંગ- અંજાર દ્વારા સમગ્ર કચ્છમાંથી મધ્યસ્થ મૂલ્યાંકન માટે આવેલા શિક્ષક મિત્રો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - કચ્છ ના સંકલન થી આ સંસ્થાઓમાં શિક્ષક મિત્રો માટે નોમિનલ ચાર્જમાં રહેવા જમવાની  વ્યવસ્થા કરી  આપવામાં આવેલ હતી જે ખરેખર સરાહનીય હતી. 

આ માટે સમગ્ર કચ્છના શિક્ષક મિત્રો વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ આવી વિશિષ્ટ સેવા આપવા બદલ  નવચેતન અંધજન મંડળ - માધાપર ના મહામંત્રી શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, મંત્રી શ્રી હિમાંશુભાઇ સોમપુરા તેમજ ખજાનચી શ્રી ઝીણાભાઇ તેમજ શ્રી મુરલીધર વિદ્યામંદિર આહીર બોર્ડિંગ-અંજાર ના ટ્રસ્ટી શ્રી ભાવિકભાઇ સોરઠીયા અને આચાર્ય શ્રી મુકેશભાઇ માતા ને સમગ્ર કચ્છના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી શિક્ષક મિત્રો વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડના  અધ્યક્ષ - અલ્પેશભાઇ જાની,  મહામંત્રી- ધર્મેન્દ્રભાઇ પરમાર, ઉપાધ્યક્ષ- સુનિલભાઇ મહેશ્વરી તેમજ  કોષાધ્યક્ષ- કીતિઁભાઇ પરમાર દ્વારા ભારતમાતાની છબી, પુષ્પ અને સ્વાધીનતા સંગ્રામના ૭૫ શૂરવીરોનુ  પુસ્તક આપી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ  હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain