શ્રી રામના ભકત હનુમાનજી મહારાજ ને સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્રારા દાસ બતાવનાર તેમજ સનાતન ધર્મોને નીચી બતાવવાનો પ્રયાસ કરનાર ટ્રસ્ટીઓ વહીવટ/દાર/ડિઝાઇનર/એન્જીનીયર/દુરપ્રચાર કરનાર તમામ સ્વામીઓ તથા મંદિરનો વહીવટ કરનાર આ કાર્ય માં સામેલ તમામ વિરુધ્ધ ધોરસળ FIR દાખલ કરવા બાબત.
થોડા સમયથી સાળંગપુર મંદિરમાં ભગવાન શ્રી હનુમાનજીની મુર્તિ જયાં સ્થાપિત કરવામાં આવી છે તેની નીચેની બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા(વ્યકિત) સામે હનુમાનજી ને બે હાથ જોડી નમન કરતા હોય તેવું દર્શાવી. તેમજ હનુમાનજી ને એક સેવક બતાવી પોતાના સંપ્રદાયને ઉચો બતાવી સનાતન ધર્મને નીચો દેખાડવા જાણી જોઇને પોતાની હલકી માનસિકતા છતી કરી આવો હિન પ્રયાસ મંદિરન વહીવટ કરનાર વ્યકિતઅ દ્વારા કરવામાં આવ્યો છે.
હજારો વર્ષથી જેને ભગવાનનો અવતાર માનવામાં આવે છે, ભવિષ્યમાં મનાતા રહેશે તેવા હનુમાનજી ને અઢીસો વર્ષ પહેલાં ઉગી નીકળેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક વ્યકિતઓના સેવક ગણાવી સમસ્ત સનાતન ધર્મ અને સંતો, મહંતો, હિન્દુ કર્મને તથા સમસ્ત હિંદુ સંગઠનો ની લાગણીને કલ્પી ન શકાય તેવી ઠેશ પહોંચાડવાનું કાર્ય સાળંગપુર મંદિરના વહીવટકર્તાઓ દ્રારા થયેલું છે. અગાઉ પણ આ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓ દ્રારા ભગવાન શિવ, વિષ્ણુ વગરે દેવતાઓ વિશે બે ફામ વાણી વિલાસ કરવામાં આવેલ હતો. અતે મોકો જોઇ માંફામાફી કરી લોકના આક્રોષથી બચવાના રસ્તા અપનાવેલા.. આજ ફરી પાછા સનાતન ધર્મમાં આવતા દેવી દેવતાઓને નીચા દેખાડવાની પેરવી આ કહેવાતા સ્વામીઓ કરી રહયા હોવાનું જણાઇ આવે છે.. કોઇ દેવતાને નીચે દેખાડી લોકોનો આક્રોશ વધતા માફી માંગી લેવી તે કેટલા અંશે વ્યાજબી ગણી શકાય ? જો આમ જ ચાલશે તો ભવિષ્યમાં આવા લોકો અન્ય દેવી દેવતાઓને પણ પોતાના સંપ્રદાયના કહેવાતા સ્વામીહો સમક્ષ સેવક કે દાસ ગણાવતા પાછી પાની નહિ કરે. આપ સાહેબને અમારી સનાતની સંસ્કૃતિમાં માનનારા તમામ સમાજના લોકો દ્રારા નમ્ર અરજ છે કે સાળંગપુર હનમાનજીના જાણી જોઇને થયેલા અપમાન અન્વયે જે પણ વ્યકિત-વ્યકિતઓ દ્વારા આ નિમ્ન કક્ષાનું કાર્ય થયેલું છે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.. ફકત માફી જ નહિ, આ વિવાદાસ્પદ ચિત્રા પથ્થર પરનું કોતરેલું દેવિદેવતાઓને કાર્યરય પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓથી નીચા દર્શાવવામાં ના આવે તેવી લેખિત બાહેધરી લગત વ્યકિતઓ પાસેથી લેવમાં આવે.
જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી સમયમાં સાળંગપુર હનુમાનજી મહારાજની પ્રતિમા પાસે બેસી બહોળી સંખ્યામાં સનાતન ધર્મમાં માનનાર લોકો દ્રારા શાંતિ પૂર્ણ રીતે હનુમાન ચાલીસા બોલી જ્યાં સુધી અમારી માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ દર્શાવવામાં આવશે.
Post a Comment