હનીટ્રેપના ચકચારી કેસની મૂખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ના મંજૂર
માધાપરના યુવકના આપઘાત અને હનીટ્રેપના ચકચારીની મુખ્ય સુત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી સેસન્સ કોર્ટે ના મંજુર કરી છે.
માધાપરના હતભાગી યુવાનને ફસાવી ચાર કરોડની ખંડણી મંગવાનો રચ્યો હતો ખેલ
માધાપરના યુવાનને હનીટ્રેપમાં ફસાવી ૪ કરોડની ખંડણી માંગવા અનેદુષ્કર્મની ખોટી ફરિયાદ ઉભી કરી મરવા મજુબર કાના ચાકચારી બનાવમાં આ કેસની મુખ્ય નાયીકા અને પાલારા જેલમાં કેદ મનિષા ગજુગીરી ગોસ્વામી દ્વારા સમગ્ર કારસો રચાયો હોવાનું બહાર આવ્યું હતું. આ કાંડમાં આરોપી મનિષા સહિતના કેટલાક આરોપીઓને એલસબીએ ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
મનીષાએ તે નંબર પરથી મૃતક દિલીપ, પતિ ગજ્જુગીરી, દિવ્યા ચૌહાણ અને કોમલ જેઠવા સાથે વાતો કરેલી છે. પોલીસે તે મોબાઈલ પણ રીકવર કરેલો છે. મૃતકને ટાર્ગેટ કરી રૂપિયા પડાવવાનું આખું કાવતરું મનીષાએ ઘડ્યું રચ્યુ હતુ.
મનિષા ગોસ્વામીને રિમાન્ડમાં લીધા બાદ પરત જેલ હવાલે કરાઇ હતી. દરમિયાન એલસીબીને પાલરા જેલમાં મનિષાના બેરેકમાંથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. હનીટ્રેમની મુખ્ય | - સુત્રધાર મનિષાએ ભુજની સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે આરોપીનીજામીનઅરજીના મંજુરકરી હતી. જો, આ કેસમાંફરારી જાહેર થયેલા મનિષાના પતિગજુગીરી ગોસ્વામી અને અંજારના વકીલ આકાસ મકવાણા અને કોમલ જેઠવા હજુ પોલીસ પકડથી દુર છે.તેમનેઝડપી લેવાના પ્રયાસો જારી હોવાનું એલસીબી પીઆઇ એસ.એન.ચુડાસમાએજણાવ્યું હતું.
Post a Comment