કચ્છ માં હવે છેડતી કરનારાઓએ અપનાવી ચોકલેટ ની લાલચ આપી ને અડપલા કરી મનમોજ ની નવી રીત

 કચ્છ માં હવે છેડતી કરનારાઓએ અપનાવી ચોકલેટ ની લાલચ આપી ને અડપલા કરી મનમોજ ની નવી રીત

પૂર્વ કચ્છમાં આદિપુર બાદ અંજારમાં  છેડતી ની ધટના આવી સામે

તાજેતરમાં ચોકલેટની લાલચ આપીને આદિપુરમાં નાની બાળા સાથે બળાત્કારની ઘટના તાજી છે ત્યાં હવે ગાંધીધામમાં ૭ વર્ષિય બાળાને ચોકલેટની લાલચ આપીને જાતિય સતામણી કરવામાં આવી હતી. તો બીજી તરફ અંજારમાં સગીરા ઘરે એકલી હતી ત્યારે નરાધમ ઘૂસી આવી છેડતી કરી હતી. બંને બનાવોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રોટરી નગરમાં રહેતા આરોપી લખન મહેશ્વરીએ ફરિયાદીની ૭ વર્ષની દીકરીને ચોકલેટ અપાવીશ તેવી લાલચ આપી તેની સાથે ખરાબ ઈરાદે હાથ પકડી અડપલાં કરી જાતીય સતામણી કરવામાં આવી હતી. તેમજ આ સ્થળે પહોંચી આવેલા બાળકીના કાકાના દીકરાને થપ્પડ મારી દેવામાં આવતા બન્ને ભાઈ-બહેન ઘરે ગયા અને માતાને સમગ્ર બાબતે વાકેફ કરતાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ નરાધમ શખ્સ સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

તો બીજી તરફ અંજારના માનસરોવર વિસ્તારમાં ભોગ બનનાર ૧૬ વર્ષીય કિશોરી પોતાના ઘરે એકલી હતી ત્યારે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં મેઘપર (બો)નો જયેશનાથ  નાથબાવા નામનો શખ્સ ઘરે ઘૂસી આવ્યો અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી કિશોરીનો હાથ પકડી છેડતી કરી હતી. જે અંગે વાલીને જાણ થતા આરોપી સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain