કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ચંદ્રયાન-3ની કૃતિએ આકર્ષણ સર્જ્યું
કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર-નાઇરોબી લંગાટા ખાતે પવિત્ર શ્રાવણ માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. જેમાં બાળકો તથા બાલિકાઓ તેમજ આ મંદિરના યુવાનો તથા યુવતીઓ પોતાનામાં રહેલી કલાકૃતિઓ દ્વારા જાતજાત-ભાતભાતના રંગબેરંગી હિંડોળા બનાવી શ્રીહરિને હિંડોળે ઝુલાવી રહ્યા છે. હિંડોળા ઉત્સવમાં મંદિરના યુવાનો હરિભક્તો માટે આકર્ષણરૂપ એવું બેકગ્રાઉન્ડમાં ચંદ્રયાન-3 જેવી આબેહૂબ કૃતિ બનાવી ભક્તોનાં દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ દ્રશ્ય નિહાળી ભક્તો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
Post a Comment