કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 12 ઓગસ્ટે કચ્છની મુલાકાતે, ગાંધીધામમાં IIFCO નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કરશે
- અમિત શાહ કોટેશ્વરમાં BSFના મરીન યુનિટના નવા પ્રોજેકટનો શિલાન્યાસ કરશે સરહદી સુરક્ષાની પણ ચર્ચાઓ કરવામાં આવે તેવી શક્યતા
કચ્છ, ગુરૂવાર - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ઓગસ્ટેના ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે. કચ્છના ગાંધીધામ IIFCO નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અમિત શાહ કોટેશ્વરમાં BSFના મરીન યુનિટના નવા પ્રોજેકટનું ભૂમિપૂજન પણ કરશે. તેમજ કચ્છના સરહદી વિસ્તારોની પણ મુલાકાત લેશે.
અમિત શાહની ગુજરાત મુલાકાત હંમેશા અગત્યની મનાતી હોય છે ત્યારે આ વખતે તેઓ ગુજરાતમાં કચ્છની મુલાકાતે જશે. સરહદી વિસ્તારોની પણ મુલાકાત લેવાના છે ત્યારે તેમની મુલાકાત દરમિયાન સરહદી વિસ્તારોમાં ચાલતી ગતિવિધિઓ અંગે પણ તેમને માહિતગાર કરવામાં આવશે તેમજ સરહદી સુરક્ષાની પણચર્ચાઓ કરવામાં આવે તેવી શક્યતા છે.
Post a Comment