ગુજરાતના હાઇવે પરના અકસ્માતો અટકાવશે અનોખી ટેકનોલોજી

 ગુજરાતના હાઇવે પરના અકસ્માતો અટકાવશે અનોખી ટેકનોલોજી

ગુજરાતમાં હાઇવે પર ભયજનક વળાંકો પર થતાં Roller Crush Barrier અકસ્માતને અટકાવવા માટે અનોખી ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ટેકનોલોજીને રોલર ક્રશ બેરિયર કહેવાય છે. આ મુજબ વાહન ભયજનક વળાંકે આ રોલર ક્રશ બેરિયરને અથડાય છે ત્યારે તે બેરિયર વાહનનો ધક્કો ઝીલી લઈને થોડી પાછી પડી જાય છે અને ધક્કાના પરિણામે સર્જાતી ઉર્જાને ટ્રાન્સફર કરી છે, તેથી વાહન પણ રેલિંગ તોડીને નીચે ખાબકતું નથી.

હાલમાં ડાંગ જિલ્લાના વધઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર Roller Crush Barrier પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કારાયો છે. હવેથી રોલર ક્રશ બેરીયર ટેકનોલોજીથી માર્ગ અકસ્માતથી થતા માનવ મૃત્યુ તથા ખીણમા જતા વાહનોને અટકાવી શકાશે. ગુજરાતના ઘાટી માર્ગમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમા સંભવતઃ સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા અમલી કરાયો છે. તેનુ સકારાત્મક પરિણામ પણ મળ્યું છે. આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામા નોધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઇ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. Roller Crush Barrier આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રીશ્રી દ્વારા રસ્તાના કુલ અગિયાર ભયજનક વળાંકોમા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પૂર્ણ કરાઈ છે. વઘઇ-સાપુતારા રોડ ઉપર અકસ્માત ઝોન વિસ્તારમા લગાડવામા આવેલ રોલર ક્રશ બેરિયરથી ગુજરાત મોડલની કામગીરી ઉડીને આંખે વળગી રહી છે. સતત વાહન વ્યવહારથી ધમધમતા આ માર્ગ ઉપર રોલર ક્રશ બેરીયરના કારણે ચોક્કસથી અકસ્માતો નિવારી શકાશે. શું છે રોલર ક્રશ બેરીયર્સ? રોલર ક્રશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ 2006મા કોરીયામા નાંખવામા આવી હતી. Roller Crush Barrier ત્યારબાદ આજદિન સુધીમા કુલ 33 દેશમા રોલર બેરીયર્સ અકસ્માત સ્થળ પર નાંખવામા આવેલ છે. 

જેમા ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમા નેશનલ હાઇવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામા આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા કરવામા આવી છે. રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી આ રોલર બેરીયર્સ કોરિયાની ઇ. ટી. આઇ. કંપની દ્વારા બનવવામા આવે છે. જે કંપનીમાંથી દરેક કોમ્પોનેન્ટ ઇમ્પોર્ટ કરવામા આવે છે. 20 વર્ષ 2006 માં કોરિયા દેશમા સૌ પ્રથમ નાંખવામા આવેલ રોલર બેરીયર્સ હજીપણ અકબંધ છે. રોલર બેરીયર્સની ક્રેશ ટેસ્ટીંગ આસ્ટો (AASHTO) દ્વારા કરવામા આવેલ છે. રોલર બેરીયર્સ ઇમ્પેક્ટ એનર્જીને રોટેશનલ એનર્જીમા ફેરવે છે. જેથી વાહન અથડાયને ફરીથી મુળ લેનમા આવી જાય છે. જેનાથી પ્રાણઘાતક અકસ્માત નિવારી શકાય છે. રોલિંગ સેફ્ટી બેરિયર્સ અસર ઊર્જાને શોષવા કરતા ટ્રાન્સફર વધુ કરે છે. તેઓ સંભવિત રીતે સ્થાવર અવરોધને તોડવાને બદલે વાહનને આગળ ધકેલવા માટે ઇફેક્ટ એનર્જીને રોટેશનલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain