સીનીયર સીટીઝન સાયબર ક્રાઇમ જાગ્રુતિ અભિયાન અંતર્ગત SHE ટીમને સાયબર ક્રાઈમ અંગેની તાલિમ આપવામાં આવેલ.

 સીનીયર સીટીઝન સાયબર ક્રાઇમ જાગ્રુતિ અભિયાન અંતર્ગત SHE ટીમને સાયબર ક્રાઈમ અંગેની તાલિમ આપવામાં આવેલ.

ગુજરાત રાજયના તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓની સુચનાથી SHE ટીમની રચના કરવામાં આવેલ છે. આ SHE ટીમનો મુખ્ય ઉદ્દેશ મુખ્યત્વે મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તથા તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે કાર્યવાહી કરવાનો રહે છે. આધુનિક યુગમાં ટેકનોલોજીના ઉપયોગ વધી રહ્યો છે, જેથી સાયબર ક્રાઇમનું પ્રમાણ આવનાર સમયમાં દિન પ્રતિદિન વધી રહેલ છે. તેનું મુખ્ય કારણ પ્રજાજનોમાં જાગૃતિનો અભાવ જણાય છે. રાજ્ય પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા સિનિયર સિટિઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કરી સાયબર સંબંધિત બાબતે શિક્ષિત કરવા માટે તા.૧૧/૦૪/૨૦૧૩થી ૨૨/૦૪/૨૦૧૩ દરમ્યાન એક વિશેષ સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે 

જે હાલ ચાલુમાં છે જે અનુસંધાને શ્રી જે.આર.મોથાલીયા સાહેબ પોલીસ મહાનીરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા SHE ટીમના કર્મચારીઓને સાયબર જાગૃતિ વિશે વિશેષ માર્ગદર્શન આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું અને કામગીરીની સમિક્ષા કરવામાં આવેલ હતી. આ સેમિનારમાં શ્રી એ.વી.રાજગોર, ના.પો.અધિક્ષક મુ.મ.ગાંધીધામ તથા શ્રી એ.એમ.વાળા, પો.ઇન્સ. સાયબર ક્રાઈમ પો.સ્ટે. તથા શ્રી વી.એલ.પ૨મા૨ પો.ઈન્સ. મહીલા પો.સ્ટે., શ્રી વી.એ.ઝા પી.એસ.આઈ. રીટ૨ શાખા તથા વા.પો.સ.ઇ.શ્રી જે.સી.રાજ નાઓની ઉપસ્થિતિમાં યોજાયેલ હતું. જેમાં પી.પી.ટી.ના માધ્યમથી SHE ટીમમાં અધિકારી/કર્મચારીઓને સીનીયર સીટીઝનની મુલાકાત વખતે આપવામાં આવેલ સુચના પત્ર ઉપરાંત સીનીયર સીટીઝનની સુરક્ષા માટે તથા તેઓની પડતી અન્ય મુશ્કેલીઓ બાબતે પણ જાણકારી મેળવી ઉપરી અધીકા૨ીશ્રીને માહિતગાર કરવા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં જે સ્થળે વ્રુધાશ્રમ આવેલા છે તે સ્થળના સીનીયર સીટીજનની મુલાકાત લઈ તેમના કુટુંબીજનો સાથે કોઇ વિવાદ હોય તેવા કીસ્સામાં સુમેળભરી રીતે વિવાદ નિરાકરણ થવા યોગ્ય પ્રયત્નો કરવા સુચનો આપવામાં આવેલ હતાં.


સાયબર ક્રાઈમથી બચવા માટેના સૂચનો

આપના મોબાઈલ ઉપર કોઈ પણ પ્રકારના બેંન્કમાંથી માહીતી માટે ફોન આવે તો આવા ફોનનો જવાબ આપવો નહી જરૂર જણાય તો રૂબરૂ બેન્કમાથી માહીતી મેળવી અથવા આપવી.

• “Google/Facebook” ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહી.

. કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઈ પણ પ્રકારની બેંકની માહીતી, OTP, CVV, ગુપ્ત પીન વગેરે આપવુ નહી કે કોઈ પણ પ્રકારની એપ્લીકેશન મોબાઇલમા ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી નહી.

. ઓનલાઈન ટ્રેડીગનાં કિસ્સામાં સામેવાળા ગ્રાહક અથવા વ્યપારીને વેરીફાય કર્યા વગર નાણાકીય લેવડ-દેવડ કરવી નહી તથા કોઈ અજાણ્યા QR કોડ ક્લિક કરવુ નહી.

તેમજ આપની જાણ માટે કે UPI પીન ફક્ત ને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમા એન્ટ૨ કરવાનો હોઇ છે.

અજાણી લિન્ક પર ક્લિક કરવાનુ ટાળવુ તેમજ અજાણ્યા વિડિયો કોલને સ્વિકારશો નહી.

રૂપીયા રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથી તેની તકેદારી રાખવી આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.

. ટૂંકા સમયગાળા માટે લોન આપવાનુ જણાવતી ઈન્સટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનુ ટાળો - રીપોર્ટ બાય - કચ્છ બ્યુરો ચીફ - હિનલ જોષી અંજાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain