રાપર શહેર ને નવું ફિડર નું ધારાસભ્ય ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર માં વીજ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર ના પીજીવીસીએલ દ્વારા એક મહિના પહેલા નવું ફીડર, ચાર નવા ટ્રાન્સફોર્મર, ત્રણ કિલોમીટર નવી વિજ લાઈનો નાખવામાં આવી છે. આ નવા ફીડરનું આજે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સુવિધાથી વીજળીની સમસ્યા દૂર થશે . આગામી સમયમાં રાપર શહેર તાલુકો વીજ સમસ્યા મુક્ત બનશે. તેમ કહીને, શહેરમાં નવા ફીડરો સાથે લો વોલ્ટેજ વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા ભૂતકાળ બની જશે.
અવારનવાર વિજ સમસ્યા અંગે આગેવાનો અને લોકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા એ સરકારના ઉર્જા મંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે રાપર શહેરને નવી માળખાકીય સુવિધા ની તાત્કાલિક જરુરીયાત છે ત્યારે આજે રાપર શહેર ને અલગ અલગ ફિડરો દ્વારા વિજ પુરવઠો આપવા માટે નો લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો તદ્ઉપરાંત મોડા ફિડર ના ફતેહગઢ ગામે બે નવા બે ટ્રાન્સફર નું લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું હતું
Post a Comment