અયોધ્યાપુરી કુમાર શાળામાં પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
આજ રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શ્રી જીવાબા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી શ્રી અયોધ્યાપુરી કુમાર શાળામાં પક્ષીઓ માટેના 150 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું..ચકલીઓની જાતિઓને લુપ્ત થતી બચાવી એ આપણા સૌની ફરજ છે તેવું શાળાના આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા વિધાથીઓને સમજાવવા આવ્યું હતું તેમજ વિશ્વ ચકલી દિવસની માહિતી આપવામાં આવી હતી..કાર્યક્રમમાં શાળાના આચાર્ય અરજણભાઇ ડાંગર, મનજીભાઈ ચાવડા, હસમુખભાઈ ઠક્કર, પારસભાઇ ઠક્કર, રાજેશભાઈ કુબેર, જયશ્રીબેન નાયી તથા સોનલબેન ઠક્કર જોડાયા હતા..
Post a Comment