મુન્દ્રા મહેશનગરનો ૨૧ વર્ષીય યુવક મતીયદેવ મંદિર પાસેના વાડામાં ફાંસી ખાઈ આપઘાત કર્યો
મુન્દ્રા મહેશનગરમાં રહેતા ૨૧ વર્ષીય યુવક ફેઝલ અનવર નોડે કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, જાણવા મળતી વિગતો મુજબ ફેઝલ અનવર ભાઈ નોડે નામનો યુવક PGVCL તરફ જતાં મતીયદેવ મંદિર પાસે રોડ પર તેમનું બકરીઓનો વાડો આવેલો છે ત્યાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાતનું પગલો ભરી લીધો હતો બનાવ બાદ હતભાગીને મુન્દ્રની સરકારી હોસ્પિટલમાં લાઇ જવાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે મૃતકના પિતા અનવર અલીમામદ નોડે એ પોલીસમાં જાહેર કર્યું હતું
Post a Comment