વડનગર ખાતે ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ તાના-રીરી મહોત્સવ યોજાશે
મહેસણા જિલ્લાના વડનગર તાના-રીરી ઉધાન ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના રોજ તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્વ યોજાય છે.જે અંતર્ગત આ વર્ષે ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ સાંજે ૦૬-૦૦ કલાકે તાના-રીરી મહોત્સવ યોજાનાર છે. તાના-રીરી મહોત્સવ ગરીમાપુર્ણ યોજાય તે માટે જિલ્લા કલેકટરશ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
પ્રથમ દિવસે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આપવામાં આવનાર છે.૧૨ અને ૧૩ નવેમ્બરને શુક્રવાર તેમજ શનિવારના રોજ સાંજે ૦૬-૦૦ કલાકે યોજાનાર મહોત્સવમાં કલાકારો ઉપસ્થિત રહેનાર છે. આ મહોત્સવ માટે વડનગર તાના-રીરી ઉધાન ખાતે સ્વચ્છતા, વડનગરના ઐતિહાસિક સ્થળોની લાઇટીંગ સહિત અનેક વિધ વ્યવસ્થાઓ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી
આ બેઠકમાં સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી,નાટ્ય સંગીત અકાદમીના પંકજભાઇ ભટ્ટ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment