ગુજરાત - તારીખ - ૯/૧૦/૨૦૨૧ શનીવાર
થરાદી મેમન કાઉન્સિલ આયોજીત ૧૬મો ઈજતમાઇ નિકાહ સમારોહ યોજાયા
૧૪ દુલહાઓએ સામુહિક લોકો ની હાજરીમાં સમુહ નિકાહ પઢયા મેતરાણા મેમણસમાજ વાડી ખાતે એમ એ મેમણ ના અધ્યક્ષ સ્થાને ૧૬મો ઈજતેમાઇ સમુહ લગ્ન કારયૅકરમ માં ૧૪ દુલ્હા ઓએ નિકાસ પઢયા હતા ૯/૧૦ ને શનિવારે હઝરત મુફ્તી અબ્દુલ રહેમાન સાહબ wmo હાઉસીંગ ચેરમેન અમદાવાદ ના હાજી સફિ મુલાણી સીટી ચેરમેન કાદરભાઇ મેમણ કડી ફારૂકભાઇ મેમણ ખેરાલુ ડૉ એ એ મેમણ સહિત પાંચ કાઉન્સિલ ઓનાં પ્રમુખ ઓ અને હોદ્દેદારોએ સ્ટેજ પર સ્થાન લીધું હતું અને પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપ્યા હતા
પ્રમુખ હનીફભાઇ ડીસાવાળા અને મંત્રી કેશરાની સાહેબ એ સ્વાગત પ્રવચન આપ્યું જ્યારે ફારુક મેમણ એ થરાદી મેમન કાઉન્સિલ ના હોદ્દેદારો ને હાલારી મેમણ જમાતો ના જુજ સભ્યો ને દુધમાં સાકર ની જૈમ સમાવી લેવા મામીક ટકોર કરી જેને સ્વિકારી હતી ઉમરદરાજ ચશ્માવાલા એ વકફ અંગે માહિતી આપી હતી
ફારુક ભાઇ સાચોરા તલાક સહિતના મુદ્દે ફતવા અંગે પણ જમાતો ને સહી ફેંસલા માં આવવા કહ્યું હતું જ્યારે wmoના અગ્રણી હાજી સફી મુલાણી એ મેમણ સમાજની મુખ્ય પાયાની પાંચ સંસ્થાઓ થકી અભ્યાસ કે અન્ય ફાયદાઓ મેળવનાર લોકો નું અધિવેશન બોલાવી નેતેમનાથી અન્ય લોકો માટે કામો કરાવવા મદદરૂપ થવા ની કામગીરી કરવા કહ્યું wmo તરફથી મળતી સકીમો જરૂરીયાત મંદ સુધી પહોંચવા કામે લાગવા કહ્યું સમુહ નિકાહના દુલ્હાઓને મુબારકબાદી આપી જ્યારે હઝરત મુફ્તી અબ્દુલ રહેમાન સાહબ એ સાદગી પૂર્ણ વિકાસ ને ઈસ્લામ ની સુન્નત ગણાવી મેમણ સમાજમાં પણ લોકો એ ઉચ્ચ શિક્ષણ સાથે સારાનિણૅય નિખાલસ કરે તેમ કહ્યું હતું ઓબઝરવર જાફર સાચોરાએ સમુહ લગ્ન યોજના નું સંપૂર્ણ કામ દાતા ઓનાં સહકાર થી થતું હોવા છતાં કેટલાક ના પેટમાં તેલ રેડાયું પણ વ્યાજબી નથી આ કમીટી સંપૂર્ણ નિખાલસ વહીવટ કરતી હોઈ ચિંતા ન રાખતી હોવાનું કહ્યું હતું મેતરાણા મેમન સમાજ વાડી હોલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દુલ્હા ઓને દહેજમાં સરસ કીટો અપાઇ હતી ડૉ એ એ મેમન તરફથી સૌને ભોજન અપાયૂ હતૂ
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
Post a Comment