ભચાઉ નગરપાલિકા વોર્ડ ૨ પેટા ચૂંટણી માં બુથ માં રિવોલ્વર સાથે ફરી દહેશત ફેલાવતા વ્યક્તિ પર કાયદેસર ના પગલા લેવા આમઆદમી એ કલેકટર ને કરી ફરિયાદ

કચ્છ - ભચાઉ - તારીખ - ૦૫/૧૦/૨૦૨૧ મગળવાર


ભચાઉ નગરપાલિકા વોર્ડ ૨ પેટા ચૂંટણી માં બુથ માં રિવોલ્વર સાથે ફરી દહેશત ફેલાવતા વ્યક્તિ પર કાયદેસર ના પગલા લેવા આમઆદમી એ કલેકટર ને કરી ફરિયાદ



ભચાઉ નગરપાલિકા વોર્ડ ૨ ની પેટા ચૂંટણી માં આમઆદમી પાર્ટી તરફ થી મજુંબેન કારીયા ઉમેદવાર હતા અને આ ઇલેક્સન દરમ્યાન વોર્ડ ૨ માં આવેલા બુથ અને આસપાસના વિસ્તાર માં એક વ્યક્તિ ખુલ્લેઆમ કમર માં રિલોવલર દેખાય તેમ ખુલ્લેઆમ લટકાવી દહેશત ફેલાવતા વ્યક્તિ બાબતે મજુંબેન એ હાજર રહેલા psi જોશી તેમજ હેડ કોસ્ટબલ ને રૂબરૂ મળી આ બાબતે જાણ કરેલ કે આ વ્યક્તિ રિવોલ્વર લટકાવી ખુલ્લેઆમ ફરી ને લોકો માં અને કાર્યકતાઓ માં ભય ફેલાવી રહેલ છે જે બાબતે આપશ્રી કઈક કાર્યવાહી કરો ત્યારબાદ psi એ કોઈ કાર્યવાહી કરેલ નહિ તથા સાથે ના કોસ્ટબલ પ્રજાપતિ એ રિવોલ્વર વાળા વ્યક્તિ ને પૂછ્યું તમારા પાસે રિવોલ્વર રાખવા નું લાઇન્સ છે? ત્યારે તેનો જવાબ રિવોલ્વર વાળા એ આપેલ કે હું પોતેજ લાઇન્સ છઉ આવો જવાબ પોલીસ તંત્ર ને જો મળતો હોય તો આમ પ્રજા કાનૂન પર ભરોસો કઈ રીતે રાખી શકે?


જે બાબતે મજુંબેન એ IG મોથાલીયા સાહેબ સાથે વાત કરેલ જેથી ટેવોનાએ sp સાહેબ શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓને સૂચન કરતા sp સાહેબ શ્રી એ PI ચૌધરી સાહેબ ને ઉપરોક્ત બાબતે વાકેફ કરેલ જેથી ગઈકાલે મને PI શ્રી ચૌધરી ના મોબાઈલ થી


મારા મોબાઈલ નંબર 98######40 પર ફોન આવેલ અને  પુછા કરેલ કે પોલીસ તંત્ર તરફ થી કઈ તકલીફ પડેલ ? અને રિવોલ્વર વાળી ફરિયાદ કોણે કરેલ હતી ઉપર સાહેબ ને?ત્યારે મજુંબેન એ જણાવેલ કે મેં ફોન કરેલો હતો એમણે કહ્યું હવે બે દિવસ નીકળી ગયા છે એટલે કહી થઈ શકે નહીં હવે કોઈ રજુઆત ફરિયાદ થઈ શકે નહીં. ઉપરોક્ત બાબતે ફરિયાદી ને જાણવા મળેલ છે કે રિવોલ્વર સાથે દહેશત ફેલાવનાર વ્યક્તિ અશોકસિંહ ઝાલા  ના પુત્ર હતા તેમના માણસો તથા અન્ય તેમના લોકો એ ફરિયાદી ને ધાક ધમકી આપી હતી ફરિયાદી મજુંબેન કે એમના  પરિવાર ના જાન માલ ને કોઈ નુકસાન થાય તો તેમના જવાબદાર ઉપરોક્ત વ્યક્તિઓ ની રહેશે તેમજ બેદરકારી દાખવનાર સરકારી જવાબદાર અધિકારીઓ પર અને દહેશત ફેલાવનાર પર કાયદેસર ની કડક માં કડક કાર્યવાહી કરવા માટે ફરિયાદી મજુબેને કલેકટર કચ્છ ના અને શ્રી DGP સાહેબ-ગાંધીનગર IG સાહેબ બોર્ડર રેન્જ ભુજ SP સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ ના ઓ ને લેખિત ફરિયાદ કરી હતી હવે જોવું રહ્યું કે ત્યાં હાજર ઇલેક્સન ની જવાબદારી નિભાવનાર અધિકારી ઓ પોલીસ કર્મચારીઓ અને દહેશત ફેલાવનાર આચારસંહિતા નું ઉલઘન કરનાર પર સુ કાર્યવાહી થાય છે



રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain