રાપરમાં નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યા પૂજન

કચ્છ - રાપર - તારીખ - ૮/૧૦/૨૦૨૧ શુક્રવાર


રાપરમાં નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યા પૂજન. 



રાપર ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રિ દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યાઓના પૂજન વિશિષ્ઠ રીતે કરવાનું નક્કી કર્યું હોઈ નવરાત્રીના પ્રારંભે મહાવીર આરોગ્ય કેન્દ્ર મધ્યે દિપપ્રાગટ્યથી કાર્યક્રમ ખૂલો મુકાયો હતો. ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી દરમિયાન દરેક શાખામાં કન્યા પુજન કરવાનું સુચન હોઈ સંસ્થાના મહિલા વિભાગે આ આદેશ ઉપાડી લઈ વિશિષ્ઠ રૂપે કન્યા પુજન કરવાનું નક્કી કર્યું હતું જેમાં દરેક કન્યાઓના ટી.સી.,ડી.સી. કાઉન્ટ,હીમોગ્લોબીન, બ્લડ ગ્રુપ, વગેરે ટેસ્ટ નિઃશુલ્ક કરી, પુજન કરી ઉપહાર આપવાનું નક્કી કર્યું હોઈ એ સરાહનીય કાર્યને ધન્યવાદ આપ્યા હતા.અને આ કાર્યને બીરદાવ્યું હતું. સંત ત્રિકાલદાસજી એ આશીર્વચન વચન આપી આ વિશિષ્ટ પુજન કાર્યના પ્રકલ્પના આયોજનને કારણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.અને શાખાના મહિલા વિભાગને અભિનંદન આપ્યા હતા.



આ પૂજન કાર્યક્રમ નવરાત્રી દરમિયાન તા.૧૫/૧૦ સુધી દરોજ બપોરે ૩-૦૦ થી ૬-૦૦ દરમિયાન મહાવીર આરોગ્ય કેન્દ્ર પર ચાલુ રહેશે. ઉપસ્થિત સૌ કન્યાઓનું પુજન કરી ઉપહાર અપાયો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ- રાપરના સભ્યો ડો.રાહુલ પ્રસાદ ડો. રમેશભાઈ ઓઝા, ,નિરંજનાબેન ગાવંડે, મોઘીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ કચ્છી, ,વિગેરે સભ્યો ઉપસ્થિત રહ્યાડ હતા. શાખાના મહિલા  સંયોજીકા ડો.પ્રતિમા કુમારી ને એમના ઉત્કૃષ્ટ વિચાર અને આયોજન થી સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ખૂબ અભિનંદન આપ્યા હતા કાર્યક્રમનું સંચાલન મંત્રીશ્રી નિલેશભાઈ માલી અને આભાર વિધી પારસભાઈ ઠકકરે કર્યુ હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain