સતલાસણા તાલુકાના રાણપુર ની ખાલી પડેલી ૭-રાણપુર તાલુકા સીટ પર પેટા ચૂંટણીમા ત્રી પાખીયો જંગ
સતલાસણા તાલુકાના ૭-રાણપુર તાલુકા પંચાયત સીટ પર અગાઉ કોંગ્રેસના ઉમેદવાર રેવાબા જોરાવરસિંહ પરમાર સુદાસણા વિજયી થયાં હતાં પણ થોડાક સમય પહેલા તેમનું નિધન થયું હતું
જેથી ખાલી પડેલી જગ્યા પર પેટા ચૂંટણી યોજાનાર છે ૧૮/૯/૨૧ના રોજ ઉમેદવારી ફૉમ ભરવાની છેલ્લી તારીખ એ પાચ ફૉમ રજુ ને ભાજપે મેન્ડેટ આપતા ઉમેદવાર શામજીભાઈ એન ચૌધરી ચેલાણા થયા તેમજ કોંગ્રેસના કનુભાઇ સી બારોટ રાણપુર ને કોંગ્રેસનુ મેન્ડેડ મળતાં ઉમેદવારી કરી છે જ્યારે આમ આદમી પાર્ટી ના ચેલાણા ના ગણેશભાઈ એમ પરમારે બીજી વખત ઉમેદવારી કરી છે આમ સતલાસણા ખાતે બે ડમી ઉમેદવાર રદ થયા તો પણ ત્રણ પાખીયો જંગ થવા પામયો છે.
સતલાસણા મામલતદાર કચેરી ખાતે ઈનચાજૅ સો ભાઇએ આગળની કાયૅવાહી કરી શરૂ કરી છે ખેરાલુ તાલુકાના ૭-ડાલીસણા સીટ પર પાણી નહીં તો મત નહી મુદે ડાવોલ વરેઠા અને ડાલીસણા ના મતદારો ખેડૂતો ચુંટણી નો બીજી વાર બહિષ્કાર કર્યોહતો જે અંગે મામલતદાર વિનોદ કટેરીયા સમક્ષ પરામસૅ કર્યો હતો.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment