ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે શંકર ભગવાન ના મંદિર મા અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી પોઠીયા ને કર્યું નુકશાન

ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે શંકર ભગવાન ના મંદિર મા અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી પોઠીયા ને કર્યું નુકશાન



પૂર્વ કચ્છ ના પ્રવેશદ્વાર સામખીયારી પોલીસ મથકમાં આવતા વાંઢિયા ગામે' ગઈકાલે કોઈ અજાણ્યા હરામખોર શખ્સો એ હિન્દુ ધર્મ ની લાગણી દુભાય તે રીતે ગામની અંદર આવેલ મંદિર આવેલ ગામ લોકો ની આસ્થા ના પ્રતિક સમાન ગોરા ભગત ની જગ્યા ની અંદર શંકર ભગવાન નુ મંદિર ગોરેશ્વર મહાદેવ મંદીર આવેલું છે 



જ્યાં દરેક લોકો પુજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે સવારે ગામના લોકો દર્શનાર્થે આવ્યા ત્યારે શંકર ભગવાન ના મંદિર નું તાળું તોડવા ની કોશિશ કરી હતી પરંતુ તાળું ના તુટતા બહાર આવેલ નંદી ની પ્રતિમા ને ખંડિત કરી નાખી હતી


આ ધટના અંગે સામખીયારી પોલીસ સ્ટેશન મા જાણ કરવામા આવી હતી પોલીસ નાં કર્મચારીઓ તરત જ પોચી આવ્યા હતા 



સુત્રો દ્રારા મળતી માહિતી અગાઉ પણ દારુ પીને પડ્યા રહેતા શખ્સો મંદિર ની અંદર પણ દેશી દારુ ની થેલી જોવા મળી હતી તો આવા તત્વોને કારણે ધાર્મિક લાગણી દુભાય છે તો તાત્કાલિક અસરથી પોલીસ તંત્ર દ્વારા પગલાં લેવા મા આવે તેવી ગામ લોકો ની માંગણી ઉઠી છે



કચ્છ નાં ભચાઉ તાલુકામાં વાંઢિયા ગામ માં આવેલ ગોરાભગત દાદા નું મંદિર ની અંદર આવેલ મહાદેવનાં મંદિર માં તારીખ - ૨૦-૦૯-૨૦૨૧ નાં રોજ પોઠીયો ખંડીત કરી નાખવામાં આવ્યો જેને કાર્ય કર્યુ છે જાણી જોઈને કર્યુ છે પહેલા પણ મંદિરમાં ઠોકરા પણ ચોરાયા હતા આ ધટના ગામ ના હિંન્દુ યુવા વર્ગ અને ગામનાં લોકોમાં આ ધટના ને લઈ આક્રોશ છે ગામનાં હિન્દુ ની લાગડીને ઠેસ પહોચી છે આ જેને પણ આવુ કુત્ય કર્યુ હોય તેને જલ્દી થી પકડી ને સજા આપવામાં આવે એવુ કહેવુ છે ગામનાં લોકો મા ધાર્મિક લાગણી દુભાય છે  આમ આ બનાવ બનતાં આજુબાજુના ગામોમાં રોષ ની લાગણી ફેલાઈ છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain