રાપર મા ગણેશ વિસર્જન
આજે રાપર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ વિસર્જન કરવા મા આવ્યું હતું જેમાં રાપર શહેરમાં ત્રણ દિવસીય ગણેશ મહોત્સવ દરમિયાન ફેન્ડસ ગૃપ આયોજિત ગણેશોત્સવ નું આયોજન દેના બેંક ચોક ખાતે કરવામાં આવ્યું હતું ઉપરાંત અયોધ્યાપુરી યુવક મંડળ અને અલજીબાપુ વાસ મધ્યે ગણેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે ગણેશ વિસર્જન આંઢવાળા તળાવ ખાતે ગણેશ વિસર્જન કરવા મા આવ્યું હતું જેમાં ધર્મેન્દ્ર સિયારીયા શૈલેષ પંડયા મેહુલ જોશી રાહુલ સિયારીયા અંકિત દરજી જીત સિયારીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ગણેશોત્સવ દરમિયાન શાસ્ત્રોક્ત વિધી નવિનભાઇ જોશી એ કરાવી હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment