રાપર ના રવેચી મંદિર ખાતે આસ્થાળુઓ ઉમટયા
રાપર વાગડ વિસ્તારના આસ્થા ના પ્રતિક રવેચી મંદિર ખાતે દર વર્ષે ભાદરવા સુદ આઠમ ના દિવસે મેળા નું આયોજન કરવામાં આવે છે ડાપરંતુ બે વર્ષ થી કોરોના ના લીધે મેળો રદ કરવા મા આવ્યો હતો એટલે આ વર્ષે મેળા ની મંજૂરી વહિવટી તંત્ર દ્વારા આપવામાં ના આવતા લોકો દર્શનાર્થે ઉમટી પડયાં હતાં ગત રાત્રે શમરથસિંહ સોઢા અને બાબુભાઈ આહિર ની સંતવણી યોજાઈ હતી જેમાં ૧ લાખ ૩૧ હજાર ની ઘોર ગાયો માટે થઈ હતી
આજે સવાર થી સાંજ સુધી કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ના નિયમો મુજબ દર્શન કરવા માટે લોકો આવતા હતા આજે રવેચી મંદિર ખાતે બોર્ડર રેન્જના આઇજીપી જે આર મોથાલીયા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા લા ના વડપણ હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી. એન ઝીઝુવાડીયા બાલાસર પીએસઆઇ ડી. આર. ગઢવી રાપર તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા નાયબ મામલતદાર મહેશ ઠક્કર સહિત ના અધિકારીઓ એ વ્યવસ્થા જાળવી રાખી હતી
આજે રવેચી મંદિર ખાતે રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમિરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની શહેર યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ચંદે મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા ભીખુભા સોઢા હઠુભા સોઢા નિલેશ માલી વાસુદેવ જોશી ઇલેવનસિંહ વાઘેલા હરેશ પરમાર ભરત પરમાર સહિત ના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો પદયાત્રીઓ રાપર રામવાવ ભુજ અંજાર ભચાઉ ખેંગાર પર બાલાસર ખડીર આડેસર ઉતર ગુજરાત સહિત ના વિસ્તારોમાં થી આવ્યા હતા
તો વાગડ મુંબઇ સુરત અંજાર ભુજ માંડવી સુરત અમદાવાદ વલસાડ સહિત ના વિસ્તારોમાં થી વાગડ વાસીઓ દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા મહંત ગંગા ગીરી બાપુ ના માર્ગદર્શન હેઠળ કિરીટસિંહ જાડેજા. ગોડજી ભટ્ટી હનુભા જાડેજા. રજનીકસિંહ જાડેજા દિપુભા જાડેજા દેવુભા જાડેજા તેમજ રવેચી યુવક મિત્ર મંડળ રવ અને રવેચી જહેમત ઉઠાવી હતી
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment