"મનગમતો ભરથાર મેળવવા માટે કરવામાં આવતાં ગૌરીવ્રતના જવારાના વિસર્જન સાથે પુર્ણાહુતિ થઇ હતી."

"મનગમતો ભરથાર મેળવવા માટે કરવામાં આવતાં ગૌરીવ્રતના જવારાના વિસર્જન સાથે પુર્ણાહુતિ થઇ હતી." 



કોરોના વાયરસના કહેર વચ્ચે હીંદુ સમાજના તહેવારોની શૃંખલાનો ગૌરીવ્રતથી પ્રારંભ થઇ ચુકયો છે. મનગમતો ભરથાર મેળવવા માટે કુમારિકાઓએ પાંચ દિવસના અલુણા ઉપવાસ કર્યા હતાં. ભગવાન શંકર અને પાર્વતી માતાજીની ભકિતમાં કુમારીકાઓ લીન બની હતી. રવિવારના રોજ જાગરણ કરવાની સાથે ઘરમાં ઉગાડેલા જવારાઓનું  વિસર્જન કરવામાં આવ્યું હતું.ડભોઇ નગરના લાલબજાર,હિરાભાગોળ બહાર આવેલા તળાવમાં કુંવારિકાઓને વિસર્જન માટે વ્યવસ્થા કરાય હતી. 



કુમારિકાઓ માથે જવારાઓમુકીને તળાવના કિનારે પહોંચી અંતિમ આરતી કરી જવારાઓને વિસર્જીત કરાયાં, હતાં. ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે અલુણા વ્રતની ઉજવણી પણ ફીકી પડી હોય તેમ લાગતું હતું.ડભોઇ નગર અને તાલુકામાં  કુમારીકાઓ દ્વારા ગૌરીવ્રત કરવામાં આવ્યું હતું અને જવારા વિસર્જન સાથે વ્રતનું સમાપણ કયું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain