ભારતીય જનતા પાર્ટી સલાયા મંડળની કારોબારીની મીટીંગ યોજાઈ હતી

ભારતીય જનતા પાર્ટી સલાયા મંડળની કારોબારીની મીટીંગ યોજાઈ હતી



ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન માન. મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કારોબારી મીટીંગમા જિલ્લા પંચાયતના પ્રમુખ વી. ડી. મોરી, જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી કિરીટભાઈ ખેતીયા સલાયા મંડળના પ્રભારી પી.એમ ભાઈ ગઢવી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પૂર્વ મહામંત્રી જીતુભાઈ જોશી ભાજપના આગેવાન પ્રભાતભાઈ ચાવડા અશોકભાઈ કાનાણી મુકેશભાઈ કાનાણી તેમજ જયેશભાઈ ચાવડા યુવા ભાજપના આગેવાન હર્ષદભાઈ બેરા કારોબારી ની મીટીંગ માં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનોનું લાલજીભાઈ ભુવા મહામંત્રી સલાયા દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું 



તેમજ સલાયા ભાજપ દ્વારા ફૂલહારથી સન્માનિત કરવામાં આવેલ હતા કોરોના મહામારીમાં જે લોકો મૃત્યુ પામેલ તમામ લોકો તેમજ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણજારીયા અને પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડા નું કોરોના દરમિયાન મૃત્યુ થયેલ તેના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવેલ હતું યુવા ભાજપના પ્રમુખ મૂળુભા જાડેજા તેમજ સલાયા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ અને લાલજીભાઈ ભુવા મહામંત્રી સલાયા નું મુળુભાઈ બેરા સાહેબ દ્વારા સાલ ઓઢાડી અને ખેસ પહેરાવી અને સન્માનિત કરવામાં આવેલ હતા સલાયાના વેપારી અગ્રણીઓ તેમજ કારોબારીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain