આજરોજ જલારામ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેવા સંગઠન ને ચેક વિતરણ કરાયો તેમજ તમામ વિકલાંગોને નાસ્તામાં બિસ્કીટ અપાયા.
જલારામ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેવા સંગઠન માં ૪૦ જેટલા મંદબુદ્ધિ વિકલાંગ રહે છે જેમાંના ૨૩ જેટલા મંદબુદ્ધિ વ્યક્તિ ને કોવિડ-૧૯ કોરોના નો શિકાર બનેલ જેમને સારવાર અર્થે રાપરની મેડીકલ માંથી દવાના ખર્ચ ૪૫૦૦૦ જેટલો થયેલ જેની વિકલાંગ ના સંચાલક શૈલેષભાઈ કોઠારી એ જલારામ ગ્રુપ ના સ્થાપક શૈલેષભાઈ ભીંડે પાસે મદદ માંગેલ આથી જલારામ ગ્રુપમાં તેમજ જુદા જુદા ગ્રુપમાં આ મેસેજ મોકલાવે જેને ટૂંક સમયમાં દાતાઓ તરફથી જલારામ ગ્રુપને સુંદર પ્રતિસાદ મળ્યો
જેના ભાગરૂપે આજરોજ જલારામ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેવા સંગઠન ને ચેક વિતરણ કરાયો તેમજ તમામ વિકલાંગોને નાસ્તામાં બિસ્કીટ અપાયા. જલારામ ગ્રુપ ના આ કાર્યક્રમ દરમિયાન શૈલેષ ભીંડે.ભરતભાઈ રાજદે.નરેન્દ્ર ભીંડે કૃપાલસિંહ વાઘેલા નયનભાઈ સુરૈયા રાહુલ સોમેશ્વર ભાવિક કોટક હેત ઠક્કર હાજર રહ્યા હતા...
Post a Comment