ખેરાલુ શિશુમંદિરનો ઐતિહાસિક નિર્ણય
ચાલુ સાલે કોરોનાની મહામારીને લઈને શ્રી સરસ્વતી શિશુમંદિર ખેરાલુ દ્વારા ચાલુ સાલે વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં વાટિકા માં જે બાળકો પ્રવેશ મેળવશે તે દાખલ થનાર તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવશે.
(૨) કોરોનાની મહામારીને લઈને જે વિધાર્થીઓએ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા વિદ્યાર્થીઓની ફી પણ જ્યાં સુધી તે વિધાર્થી આ વિદ્યાલયમાં અભ્યાસ કરશે ત્યાં સુધી ફી માફ કરવામાં આવશે.
ઉપરોક્ત નિર્ણય સંસ્થાની શૈક્ષણિક કમિટીના ચેરમેન ડો.હર્ષદભાઈ વૈદ્ય , સેક્રેટરી શ્રી જસ્મીન દેવી શૈક્ષણિક કમિટીના સભ્યો શ્રી નાથુભાઈ સોની, હર્ષદભાઈ શાહ અને મહેશભાઈ કડિયા દ્વારા આ વિસ્તારના વિધાર્થીઓ અને વાલીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment