રોજ રાધનપુર તાલુકાના જોરવરગંજ ગામની મુલાકાત કરતા રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ

રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પોતાની ફરજ સમજી ગામડે ગામડે ફરી લોકોના પ્રસનોને સાંભળી અને જરૂરી ઉપલી કચેરીએ રજુઆતો કરી બને તેટલા પ્રસનોનો નિકાલ કરે છે ત્યારે આજે તા.13/03/2022 ના રોજ રાધનપુર તાલુકાના જોરવરગંજ ગામની મુલાકાત લઈ ગામ લોકો ના કેનાલ ના પાણી ની રજુઆત સાંભળી હતી

રઘુભાઈ દેસાઈ એ રજુઆત સાંભળી ગામના કેનાલના પાણીના પ્રશ્નોની યોગ્ય સ્તરે રજૂઆત કરી નિરાકરણ લાવવાની ખાત્રી આપી. જેમાં વિષ્ણુદાસ બાપુ, મેવાજી જેહાજી ઠાકોર(સરપંચશ્રી) દશરથભાઈ ઠાકોર, ગુગાજી ઠાકોર, નારણજી ઠાકોર, દેવાજી ઠાકોર, બચુદાન ગઢવી, નારણભાઇ દેસાઈ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં